ખુબજ કઢોળ હોય છે મહિલા નાગા સાધુ બનવાની પ્રક્રિયા, જાણો તેમનાં વિશે ક્યારેય જ જાણી હોય તેવી વાત…….

0
1516

નમસ્કાર મિત્રો આજે અમુક કિસ્સાઓ જ એવા હોય છે કે જેના વિશે ક્યારેય તમે વિચાર્યું પણ નહીં હોતું તો આજે અમે તમને એવા જ એક કિસ્સાથી પરિચિત કરવા જઈ રહ્યા છીએ તો ચાલો જાણીએ.મહિલા નાગા સાધુ એક એવી કઈ પરંપરા અપનાવતા હશે કે જેમકે આપણા દેશ માં તો બહુ બધી પરંપરા છે પણ તેમની પરંપરા કંઇક અલગ જ છે અને જે ચોંકાવી દેનારી છે તેવું કહેવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ આના વિશે.

કહેવામાં આવે છે કે મહિલા નાગા સાધુ વિશે તમે સાંભળ્યું જ હશે પણ આવા નાગ સાધુ વિશે તમે નહિ જ જાણતા હોવ અને જો નહિ સાંભળ્યું હોય તો અમે તમને જણાવી દઈએ કે મહિલા નાગા સાધુ એ ભારત માં અલગ અલગ જગ્યા એ જોવા મળેતા હોય છે. જેમકે ગિરનાર.

જુનાગઢ વગેરે જેવા ધામો પર પરંતુ આપણા સમાજ માં ઘણાં એવા લોકો છે કે જેઓ મહિલા નાગા સાધુ ઓને ખોટી વિચાર ધારા થી જોવે છે અને તેમના વિશે ખરાબ વાતો કરતા હોય છે પરંતુ આનું સત્ય કંઇક અલગ જ છે અને આ એક એવી વિચિત્ર પરંપરા રાખે છે કે તેના વિશે આપણે કોઈ દિવસ કલ્પના પણ નહીં કરી હોય તો ચાલો જાણીએ તે પરંપરા વિશે.

મિત્રો સાધુ સંતોને ભારતીય સંસ્કૃતિમાં ખૂબ આદર આપવામાં આવ્યો છે, અને તેમના માટે આપેલું બલિદાન અનુકરણીય છે. અને આપણે આપણાં કુંભ મેળામાં આ બલિદાન, તપસ્યા અને આકર્ષણના યોગ સાધના જોઈ શકીએ છીએ. આપણા દેશમાં ઘણા પ્રકારના સંતો છે, આજે અમે તમને અહીં નાગા સાધુઓ વિશે, સ્ત્રી નાગા સાધુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

મિત્રો મહિલા નાગા સાધુ બનવા માટે સૌથી પહેલા લગભગ 12 વર્ષ સુધી કઠીન બ્રહ્મચારી બનવાનું હોય છે અને તેમનામાં રહેલા નિયમોનું પાલન કરવાનું હોય છે જેની ખાસ નોંધ હોય છે તે પ્રમાણે કરવું પડતું હોય છે અને તેની સાથે સાથે પોતાના ગુરુ ઉપર સંપુર્ણ રીતે વિશ્વાસ રાખવાનો હોય છે અને તેમની વાતોનું પાલન કરવાનું હોય છે આ સિવાય બ્રહ્મચર્ય નું ખુબ જ વિશ્વાસથી પાલન કરવું ખુબ જ જરૂરી છે.

દરેક ગુરુ મહિલા નાગા સાધુ બનવા માટે તે મહિલા ને દીક્ષા ત્યારે જ આપે છે કે જ્યારે તે તેના લાયક બની જાય છે અને જયારે તે બ્રમ્હચર્ય નું પાલન કરે છે અને તેમની સાથે રહેવા લાગે છે પણ જેવી રીતે હિંદુ ધર્મ માં કોઈ પણ વ્યક્તિ ના મર્યા પછી તેનું પિંડદાન કરે છે તેવી જ રીતે અહીંયા પણ તેમનું પાલન કરવું પડતું હોય છે પરંતુ આ આશ્ચર્ય કરવા વાળી વાત છે કે નાગા સાધુ બનવા વાળી મહિલા ને પોતાનું જ પિંડદાન કરવું પડતું હોય છે જે એક આશ્ચર્યજનક વાત છે.

તમે બધા નાગા સાધુઓ વિશે જાણતા જ હસો પરંતુ અમે તમને અહીં કેટલીક અન્ય રસપ્રદ માહિતી જણાવવા જય રહ્યા છીએ . જે તમે પહેલાં ક્યારેય નહીં સાંભળી હોય, દરેક જણ જાણે છે કે પુરુષ નાગા સાધુ બને છે, પરંતુ તમને એ જાણીને થોડો આશ્ચર્ય થશે કે સ્ત્રીઓ પણ નાગા સાધુ બની શકે છે. અહીં અમે તમને સ્ત્રી નાગા સાધુ બનવાના નિયમોથી પરિચિત કરીશું, સ્ત્રી કેવી રીતે નાગા સાધુ બને છે.

સ્ત્રીને પ્રથમ સ્ત્રી નાગા સાધુ બનવા માટે મુંડન કરવામાં આવે છે. આ સિવાય અન્ય સંતો સ્ત્રી સંતની પુષ્ટિ કરે છે કે તેના પરિવાર સાથે તેનો મોહ સમાપ્ત થઇ જાય છે.

નાગા સાધુ બનવા માટેના બધા સંબંધો અને સંબંધીઓને ત્યજી દે છે અને પોતાને દુનિયાના સુખથી દૂર રાખે છે. તે હવે તેના પરિવારથી દૂર છે અને કોઈ પણ વસ્તુથી મોહિત નથી.

સ્ત્રી સંન્યાસીઓ કુંભમાં નાગા સાધુઓ સાથે શાહી સ્નાન પણ કરી શકે છે. સ્ત્રી નાગા સાધુ બન્યા પછી સ્ત્રીને પુરૂષ નાગા સાધુ જેમ જ રહેવાનું નથી. સ્ત્રી નાગા સંન્યાસ નગ્ન નથી રહેતી, તેમને કપડાં પહેરવાની મંજૂરી છે. સ્ત્રી નાગા સાધુઓના ત્યાગની દુનિયાભરમાં પ્રશંસા કરવામાં આવી છે.

મિત્રો અહીંયા જે જણાવવામાં આવેલ છે તે ખરેખર સાચી વાત છે અને ગુરુના જણાવ્યા મુજબ જ આ કામ મહિલા નાગા સાધુને કરવુ પડતું હોય વહે અને આ બનવા વાળી મહિલા ને પોતાનું મુંડન કરાવીને નદી માં સ્નાન કરીને સ્વસ્થ થવું પડે છે અને એટલુંજ નહિ પણ તેને પોતાના પરિવાર નો સંપૂર્ણ રીતે ત્યાગ કરવો પડે છે આવા પણ નિયમો હોય છે.

આ નિયમોના અનુસાર તો મહિલા નાગા સાધુ ઓને વસ્ત્રો વિના રહેવાનું હોય છે અને મહિલા નાગા સાધુ એક પીળું વસ્ત્ર ધારણ કરીને પોતાના શરીર ને ઢાંકી ને રાખે છે અને તે સિવાય એ

બીજા કોઈ કલરનું વસ્ત્ર પહેરી શકતા નથી અને ત્યાર બાદ તે એક માતાથી ઓળખાવા લાગે છે અને અમે જે નાગા સાધુ બનવા ની પ્રક્રિયા જણાવી રહ્યા છીએ તે જ પ્રક્રિયા મહિલા અને પુરુષ બંને માટે ખુબ જ જરૂરી હોય છે અને રીતે તેમને પાલન કરવુ એ આવશ્યક છે.

મિત્રો સન્યાસી બનતા પહેલા મહિલાને આ સાબિત કરવું પડે છે કે તેને પરિવાર અને સમાજ થી કોઈ મોહ નથી અને તે ફક્ત ભગવાનની ભક્તિ કરવા માંગે છે અને આ વાતથી સંતુષ્ટ થયા પછી જ તેને દીક્ષા અપાય છે જણાવી દઈએ કે પુરુષ નાગા સાધુ અને મહિલા નાગા સાધુમાં ફરક ફક્ત એટલો જ હોય છે

કે મહિલા નાગા સાધુને એક પીળું વસ્ત્ર લપેટીને રાખવાનું હોય છે અને તે વસ્ત્ર પહેરીને જ સ્નાન કરવું પડે છે. એમને નગ્ન સ્નાન કરવાની અનુમતિ નથી, અહીંયા સુધી કે કુમ્ભ મેળામાં પણ એમને નગ્ન અવસ્થામાં સ્નાન કરવાની અનુમતિ નથી.