એવું કહેવામાં આવે છે કે ગરીબી ક્યારેય કોઈના પગમાં અવરોધ બની શકે નહીં. જો આપણી આત્મા ઉંચી હોય અને ઇરાદા મજબૂત હોય, તો ચોક્કસ આપણે આપણું લક્ષ્ય પ્રાપ્ત કરીશું. આજે અમે તમને એવા જ એક વ્યક્તિની વાર્તા કહેવા જઈ રહ્યા છીએ જે ગરીબીના દળમાંથી નીકળીને સફળતાના શિખરને સ્પર્શી ગયો છે. જે મેળવવું સામાન્ય રીતે મુશ્કેલ હોય છે.મહારાષ્ટ્રના એક નાના જલાના ગામથી આવેલા આઈએએસ અધિકારી અંસાર અહેમદ શેખે માત્ર 21 વર્ષની વયે દેશની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંની એક, યુપીએસસીને જ ક્લિયર કરી દીધી, પણ પહેલી જ વાર 371 રેન્ક મેળવ્યો. પરંતુ અહીં સુધીની તેની યાત્રા એટલી સરળ નહોતી.
અંસાર અહેમદ શેખ મહારાષ્ટ્રના ખૂબ જ ગરીબ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેના પિતા રિક્ષાચાલકનું કામ કરે છે, તેના પિતા ભાગ્યે જ 100-150 રૂપિયા મેળવી શકતા હતા. તેના સિવાય અંસારના પરિવારમાં ચાર ભાઇ-બહેન છે. તેના મોટા ભાઈએ ઘરના સંજોગોને ધ્યાનમાં લઈને નાની ઉંમરે ગેરેજમાં કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ અંસારનો અભ્યાસ ચાલુ રાખ્યો, પરંતુ જ્યારે અંસાર ચોથા ધોરણમાં હતો, ત્યારે તેના પિતા અંસારનો અભ્યાસ બંધ કરવા માંગતા હતા. પરંતુ શિક્ષકના કહેવા પર, અન્સારનો અભ્યાસ ચાલુ રાખ્યો કારણ કે તે ભણવામાં ખૂબ સારો હતો.
અંસાર અહેમદ શેખ શરૂઆતથી જ ભણવામાં સારા હતા અને દરેક વર્ગમાં પ્રથમ વિભાગ સાથે પાસ થતો હતો. મેટ્રિકમાં તેના માર્ક્સ એકદમ સંતોષકારક હતા અને તેણે 91% માર્કસ સાથે 12 મો પાસ કર્યો હતો. આ પછી તે ઉચ્ચ શિક્ષણ માટે પુણે ગયો અને ત્યાંની નામાંકિત કોલેજમાંથી બી.એ.માં પ્રવેશ લીધો. પોલિટિકલ સાયન્સમાં બી.એ કરતી વખતે તેની પ્રતિભા જોઈને કોઈએ તેમને યુપીએસસીની પરીક્ષા લેવાનું કહ્યું, ત્યારબાદ તેણે તેની તૈયારી શરૂ કરી અને પરીક્ષા આપવાનું નક્કી કર્યું.
પરંતુ અંસાર અહમદ શેખ સુધીની અહીંની મુસાફરી એટલી સરળ નહોતી. અંસારે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે યુપીએસસી કોચિંગ દરમિયાન અભ્યાસ માટે પૈસા ઉપાડવા માટે હોટલમાં વેઈટર તરીકે પણ કામ કર્યું હતું, આ સાથે તે સવારથી સાંજ સુધી વેઈટર તરીકે કામ કરતો હતો અને તેના સાથીઓ તેમના અભ્યાસ માટે પૂરો સમય આપતા હતા. .અને તેની મહેનત અને સમર્પણનું પરિણામ છે કે આજે તે આ સફળતાના શિખરે પહોંચી ગયો છે અને દેશની સૌથી મુશ્કેલ પરીક્ષા યુપીએસસીને પહેલા જ પ્રયત્નમાં 371 ની રેન્ક સાથે ઉત્તીર્ણ કર્યો છે.અંસાર એહમદ શેખ ફક્ત 21 વર્ષની ઉંમરમાં UPSC પાસ થનાર દેશનો સૌથી નાની વયનો IAS અધિકારી છે.
મહારાષ્ટ્રના મારાઠવાડા વિસ્તારમાં જાલના જિલ્લાના શેલગાવ નામના ગામમાં 1 જૂન 1995ના રોજ એક ખૂબ જ ગરીબ અને સામાન્ય પરિવારમાં ઝૂંપડપટ્ટીમાં જન્મેલા અંસારના પિતા વાસણ વેચવાનું અને રીક્ષા ચલાવવાનું કામ કરતા હતા.(હા, હાલમાં પણ તેઓ રીક્ષા ચલાવે છે.ઘરની આર્થિક હાલત ખૂબ જ ખરાબ. પિતા ક્યારેક દારૂના રવાડે પણ ચડતા. પિતાએ ત્રણ પત્નીઓ કરેલી. અંસાર બીજી પત્નીનો દીકરો હતો. અંસારની બે બહેનોના નાનપણમાં જ લગ્ન થઈ ગયા હતા. ઘરમાં એના સિવાય પણ ઘણાંબધાં બાળકો હતાં.અંસારની માતા અકસ્માતે એક વર્ષ સુધી પાગલ થઈ ગયેલી. ઘણી પણ ઘણીબધી સમસ્યાઓ હતી. ઘરનું ઘર નહોતું. ભાડાના મકાનમાં ગયા તો ત્યાં સંડાસ-બાથરૂમની વ્યવસ્થા પણ નહોતી. નાનો ભાઈ ધોરણ-6થી જ અભ્યાસ છોડી મામા સાથે કામે લાગી ગયેલો.એક સામાન્ય રીક્ષા ડ્રાઇવર માટે બધાનું ભરણપોષણ કરવું ખૂબ કપરું હતું, તો બાળકોને ભણાવવાની તો વાત જ શી કરવી..!
છતાં અંસાર ચાર ધોરણ સુધી ભણ્યો. પણ પછી પરિવારજનોએ કહ્યું કે, “છોકરો ભણીને શું ઉકાળવાનો છે…? નોકરી તો મળવાની નથી..! અને આપણી કોમ(મુસ્લિમો)ને નોકરી આપે પણ કોણ..? આને ભણાવવાથી કાંઈ વળવાનું નથી. તેને કામે લગાડી દો, જેથી ઘરમાં બે પૈસા આવક થાય.આમ વિચારી પિતા અંસારનું લીવીંગ સર્ટીફિકેટ કઢાવવા સ્કૂલે ગયા. સ્કૂલમાં પુરૂષોત્તમ પલુસકર નામના એક માયાળુ શિક્ષકે તેમને સમજાવતા કહ્યું કે,‘છોકરો ભણવામાં હોંશિયાર છે. તેને ભણવું હોય ત્યાં સુધી ભણવા દો ને..!’
અને પિતા માની ગયા. અભણ મા-બાપ આમ શિક્ષકોની વાત તરત માની લેતા હોય છે. શિક્ષક ઉપર તેઓ ભરોસો પણ કરતા હોય છે. અંસાર કહે છે ‘હું આજે જે કાંઈ છું તે પેલા શિક્ષક ને લીધે જ. નહીંતર આજે હું પણ મારા પિતાની જેમ ક્યાંક રીક્ષા ચલાવતો હોત.’અંસાર ભણવામાં હોંશિયાર ખરો પણ પુસ્તકો, યુનિફોર્મ અને અન્ય ખર્ચ કોણ ભોગવે..? તેના નાના ભાઈ અનિસે મોટાભાઈ અંસારને ભણવામાં મદદરૂપ થવા પોતે ધોરણ-6 પછી અભ્યાસ છોડી દીધો અને મામાને ત્યાં જઈ તેમની ગ્રોસરી શોપમાં કામે લાગી ગયો.સ્કૂલના વખતમાં તો બુક અને કપડાંની પણ તંગી હતી. ફાટેલા અને થિંગડાંવાળા કપડાં પહેરી અંસાર સ્કૂલે જતો. ઉપર યુનિફોર્મનો સફેદ શર્ટ પહેર્યો હોય. નીચે બીજું કાંઈક. શિક્ષક જોઈ ન જાય એટલા માટે તે પ્રાર્થના વગેરે બોલાઈ જાય પછી કોઈનું ધ્યાન ન જાય એમ છુપી રીતે વર્ગમાં આવતો અને બધા વચ્ચે જઈ છુપાઈને બેસી જતો.ઘરે ક્યારેક એકાદ ટાઈમ તો ક્યારેક બે ટાઈમ જમવાનું મળતું. જેથી અંસાર સ્કૂલનું મધ્યાન ભોજન ધરાઈને જમી લેતો. ક્યારેક તો મધ્યાન ભોજનની એ ખિચડીમાં જીવાત કે વંદા પણ નીકળતા… છતાં ઘર કરતા એ ભોજન સારું જ હતું.
સ્કૂલમાં વકતૃત્વ કે એવી બીજી સ્પર્ધાઓમાં ભાગ લઈ અંસાર જે રોકડ ઇનામ જીતતો તેમાંથી તે ફી અને બુકનો ખર્ચ કાઢતો. તેનો ધોરણ-10 સુધીનો અભ્યાસ જિલ્લા પરિષદ સ્કૂલમાં થયો. અંસારે ધોરણ-10ની પરીક્ષા 76% સાથે પાસ કરી.પોતાને UPSC પાસ કરવાની પ્રેરણા ક્યાંથી મળી એ સંદર્ભની વિગતો આપતા એક ઇન્ટરવ્યૂમાં અંસાર કહે છે કે,“દસમાંના વેકેશનમાં અમારા એક માપરીસર નામના વર્ગશિક્ષક MPSC ની પરીક્ષા પાસ કરી ઓફિસર બની ગયા. છાપામાં નામ છપાયું. હું જઈને તેમને મળ્યો. પૂછ્યું કે સર, તમે ઓફિસર કેવી રીતે બન્યા..? મારે પણ ઓફિસર બનવું છે. અને તેમણે મને MPSC ની પરીક્ષા વિશે સમજાવ્યું. અને મેં ઓફિસર બનવાનું નક્કી કર્યું.”બીજો પણ એક કિસ્સો કે જેણે અંસારને IAS બનવાની પ્રેરણા આપી તેના વિશે વાત કરતા તે કહે છે કે,“અમારો પરિવાર આર્થિક ગરીબ એવો BPL(બીલો પૉવર્ટી લાઈન) પરિવાર હતો. તેથી એક ઘરકુલ યોજના અંતર્ગત રૂપિયા 30,000/-ની મદદ સરકારે આપી. તાલુકા ઓફિસમાં અમે તેનો ચેક લેવા ગયા. ત્યાંના એક અધિકારીએ કહ્યું કે ‘જો દસ ટકા એટલે કે 3000 રૂપિયા(લાંચ) આપો તો તમારો 30,000/- નો ચેક તરત જ પાસ કરવી દઉં..!’
અને મારા પિતાએ તેને 3000 રૂપિયા આપ્યા. ત્યારે મને ખબર પડી કે ભ્રષ્ટાચારનો શિકાર અમારા જેવા ગરીબોએ જ વધુ બનવું પડે છે. અને મને ગરીબોને મદદરૂપ થવા IAS બનવાની ઈચ્છા થઈ.વેકેશનમાં કોમ્પ્યુટર શીખવા MSCIT નો કોર્ષ કરવાનું વિચાર્યું. પણ ફીના 2800 રૂપિયા ક્યાંથી કાઢવા..? જેથી અંસારે પિતાને વાત કરી કે ‘મારે પૈસાની જરૂર હોય હું આપણા ગામની હોટલમાં કામ કરવા લાગી જાઉં છું.’અને એમ અંસાર પોતાના ગામની એ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને ચા-પાણી આપવા, ટેબલ સાફ કરવા, દૂરથી પાણીના કેરબા ભરી લાવવા અને રાત્રે 10 વાગ્યે હોટલ બંધ થાય પછી એક કલાક સુધી આખી હોટલ સાફ કરવાની સવારના 8.00 થી રાત્રિના 11.00 વાગ્યા સુધીની વેઇટરની નોકરી કરવા લાગી ગયો. વચ્ચે બે કલાકના બ્રેકમાં તે જમીને કોમ્પ્યુટર ક્લાસમાં જઈ આવતો.
દુનિયામાં જો કોઈ વ્યક્તિ કઈ નક્કી કરી લે છે, તો તેને પૂરું કરવા માટે દિવસ અને રાત એક કરી દે છે. તેવો જ એક કિસ્સો જેને જાણીને તમને પણ કંઈક કરવાની ઈચ્છા થઇ જશે. આ વાત છે IAS ગોવિંદ જયસ્વાલની છે.ગોવિંદના પિતાજી એક રીક્ષા ચાલાક હતા, તેઓ બનારસમાં એક નાનકડી રૂમ ભાડે રાખીને રહેતા હતા. આ પરિવાર ખુબ મહેનત કરીને તેમનું જીવન ચલાવતો હતો.આ રૂમ એવી જગ્યાએ હતો કે અહીંયા ખુબ જ અવાજ પણ આવતો હતો આજુબાજુમાં કેટલીય ફેક્ટરીઓ હતી અને તેનો બહુજ અવાજ આવ્યો હતો. તેમના પરિવારમાં ગોવિંદ, તેની બે બહેનો અને માતા-પિતા રહેતા હતા. આમ તેમને તેમનું જીવન જીવવામાં ઘણી મોટી તકલીફ પડતી હતી.ગોવિંદની એક જ ઈચ્છા હતી તેના પરિવારને આવી સ્થિતિમાંથી સુધારીને આગળ લઇ જવાની જેથી આવી કપળી સ્થિતિમાં પણ ગોવિંદે તેનું ભણવાનું ચાલુ જ રાખ્યું હતું.
ગોવિંદ તેમના ભણવાના ખર્ચને કાઢવા માટે ટ્યુશન પણ ભણાવવાનું ચાલુ જ રાખ્યું હતું. તેઓ પહેલા જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં થોડાક કલાકો સુધી લાઈટ નહતી આવતી. તો તેઓ રાત્રે વાંચવા માટે મીણબત્તી સળગાવી દેતા હતા અને તેના પ્રકાશથી વાંચતા હતા. ૧૨ ધોરણ પછી તેઓ આગળનું ભણવા માટે અને IAS ની તૈયારી કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા.તેવામાં તેમના પિતાને પગમાં મોટો ઘા વાગ્યો હતો અને તેમનો આ પરિવાર બેરોજગાંર થઇ ગયો હતો જેથી તેમના દીકરા ગોવિંદને ઘરે ના આવું પડે તેની માટે તેમની બચાવેલી જમીન ખાલી ૩૦૦૦૦ માં વેચી દીધી હતી.આ આખા પરિવારની છેલ્લી ઈચ્છા તેમના દીકરા ગોવિંદ ઉપર હતી અને ગોવિંદે પણ ૪૮ મોં નંબર લાવીને IAS બન્યા હતા અને પરિવાની સ્થિતિ સુધારી એક નવી જિંદગીની શરૂઆત કરી હતી.