લીંબુ એ દુનિયાના લગભગ દરેક ભાગમાં મળી આવતું એક અતિ સામાન્ય ફળ છે. તે સાઇટ્રિક ઍસિડ થી ભરેલું હોવાથી સ્વાદમાં ખાટું હોય છે. દુનિયાભરમાં વિવિધ વાનગીઓમાં ખટાશ પુરી પાડવા લીંબુનો રસ નાખવામાં આવે છે.
આ ઉપરાંત શરબત બનાવવા માટે પણ લીંબુનો રસ બહોળા પ્રમાણમાં વાપરવામાં આવે છે. ભારતીય ઉપખંડમાં અને તેમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્યમાં લીંબુનો ઉપયોગ અથાણાં બનાવવા માટે કરવામાં આવે છે.
લીંબુ એક એવું ફળ છે જેનો ઉપયોગ રોજિંદા દિનચર્યામાં રસોડાને લગતા લગભગ દરેક કાર્યોમાં થાય છે.લીંબુ-પાણી,લીંબુની ચા,સલાડ માં લીંબુનો રસ વપરાય છે.લીંબુમાં સૌથી વધુ વિટામિન સી હોય છે.
લીંબુ વાળ,ચહેરો અને સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખૂબ આરોગ્યપ્રદ છે.જો કે બહુ ઓછા લોકો જાણતા હશે કે લીંબુના પાંદડા લીંબુની જેમ આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.તેઓ લીંબુ કરતા વધારે ફાયદાકારક છે.લીંબુના પાન માં રહેલા પોષક તત્વો સાઇટ્રિક એસિડ , કેલ્શિયમ ફ્લેવોનોઇડ્સvbઆયર્ન ફોસ્ફરસ,વિટામિન એ,બી 1 અને સી.
લીંબુના પાનના ફાયદા:1. જો તમને માથાનો દુખાવો થઈ રહ્યો છે, તો તમે લીંબુનો રસ કાઢીને તેને જલ્દી સુગંધથી રામ મેળવી શકશો. આધાશીશીની સમસ્યાથી પણ રાહત મળે છે.
2. લીંબુના પાનના અર્કમાં થોડું મધ મેળવીને પીવો, પછી પેટના કીડા મરી જાય છે.3. લીંબુના પાનના અર્કનો ઉપયોગ લીંબુ મલમ તરીકે કરવામાં આવે છે અને તેનો ઉપયોગ પર્યાવરણને લીધે થતી ત્વચા પરની આડઅસરો, તનાવને દૂર કરવા માટે કરી શકાય છે.
4. લીંબુના પાનમાંથી કાઢેલા અર્ક અથવા રસનો ઉપયોગ ઇન્દ્રિયોને શાંત કરવા માટે કરવામાં આવે છે. આમ લીંબુના પાનનો અર્ક વિવિધ સુંદરતા ઉત્પાદનોમાં ઉપયોગમાં લેવામાં આવે છે,
જેથી ત્વચા પર સુગમ અને સારી અસર પડે.5. રોજ સવારે ખાલી પેટ પર તમે એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી ઓલિવ તેલ મેળવીને પથ્થરની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
તમને લીંબુના ફાયદા અને નુક્સાન ની પણ જાણકારી હોવી જોઈએ.લીંબુના ફાયદા :લીંબુનાં જેટલા ગુણગાન ગાઇએ તેટલાં ઓછાં પડે. ખાનપાનમાં લીંબુનો રોજિંદો ઉપયોગ ઘણી બધી તકલીફોને દૂર રાખે છે. આંબલીની જેમ લીંબુની ખટાશ નુકસાનકારક નથી. નિર્ભયતાથી તેનો દરરોજ તમે ઉપયોગ કરી શકો છો. ગુણકારી લીંબુને જીવનભર ખાનપાનમાં મહત્વનું સ્થાન આપવું જરૂરી છે. તો જાણી લો તમે પણ લીંબુના આ ફાયદાઓ વિશે…
લીંબુના રસમાં સિંધવ મેળવીને બે-ત્રણ અઠવાડિયા સુધી પીવાથી પથરી ઓગળી જાય છે.મોટી ઉંમર સુધી નીરોગી રહેવા માટે દરરોજ સવારે નરણે કોઠે એક ગ્લાસ સામાન્ય ઠંડા પાણીમાં લીંબુનો રસ નાખી પીઓ. મોટું લીંબુ હોય તો અર્ધા લીંબુનો રસ પૂરતો છે, નાનું લીંબુ હોય તો આખા લીંબુનો રસ નાખવો.
એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધુ લીંબુ તથા પા ચમચી મરીનું ચૂર્ણ નાખી થોડા દિવસ પીવાથી યકૃત(લીવર)ની તકલીફ મટે છે.લીંબુનો રસ થોડા પાણીમાં પીવાથી ગળાની તકલીફ દૂર થાય છે.લીંબુનો રસ ગરમ પાણીમાં મેળવીને રાતે સૂતી વખતે પીવાથી શરદી મટે છે.એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ ભેળવીને રોજ ચાટી જવાથી ખાંસી મટે છે. તેમજ દમનો હુમલો બેસી જાય છે.
લીંબુના રસમાં કોપરેલ મેળવીને માલિશ કરવાથી ચામડીની શુષ્કતા, ખુજલી, દાદર વગેરે ચામડીની તકલીફોમાં ફાયદો થાય છે.એક ચમચી લીંબુનો રસ અને અડધી
ચમચી આદુનો રસ નરણે કોઠે પીવાથી કોઇ પણ જાતનો પાચનતંત્રનો કોઇ પણ અવયવનો દુખાવો મટે છે.એક લીંબુના રસમાં થોડું ગરમ પાણી નાખીને પીવાથી થોડા દિવસમાં વાયુનો ગડગડાટ થતો અટકી જાય છે.એક લીંબુનો રસ કાઢી તેમાં સિંધવ અને સાકર નાખીને પીવાથી પિત્તની ઊલટી, અતિસાર અને મરડો મટે છે.
નુકસાન :આમ તો તમે લીંબુના ફાયદા અંગે જ સાંભળ્યુ હશે. વજન ઘટાડવાથી માંડીને ત્વચાની સારસંભાળ માટે લીંબુ ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ લીંબુનો અતિરેક તમારા માટે નુકસાનકારક પુરવાર થઈ શકે છે. આડેધડ લીંબુનો ઉપયોગ કરતા પહેલા તેનાથી થતા નુકસાન અંગે ખાસ જાણી લો.
સવારે ખાલી પટે પાણીની સાથે લીંબુનો રસ લેવાથી તમારુ શરીર અંદરથી ક્લીન થાય છે, ત્વચામાં ચમક આવે છે. તે દવાનું પણ કામ કરે છે. પરંતુ તેની અનેક સાઈડ ઈફેક્ટ્સ પણ છે.
એસિડિક :લીંબુ ખૂબ જ એસિડિક હોય છે. આથી જે લોકોનું પેટ સંવેદનશીલ હોય અને પીએચ લેવલ ઓછુ હોય તેવા લોકોએ લીંબુનુ સેવન ન કરવુ જોઈએ.ત્વચાને નુકસાન :લીંબુનો ઉપયોગ સ્કિનને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવે છે. તેનાથી કરચલીઓ, પિમ્પલ્સ અને ડાઘ ધબ્બા દૂર થાય છે.
એવુ મનાય છે કે લીંબુ એસિડિક હોવાથી તે આ સમસ્યા દૂર કરે છે પરંતુ આ વાત સંપૂર્ણપણે સાચી નથી. લીંબુ સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે. જો લીંબુ લગાડતી વખતે તમને થોડી પણ બળતરા થાય કે ખંજવાળ આવે તો તેનો યુઝ બંધ કરી દેવો જોઈએ.
લીંબુના સેવનથી થતા નુકસાન :લીંબુનુ વધારે પડતુ સેવન શરીરને નુકસાન પહોંચાડે છે. વધારે પડતા લીંબુના સેવનથી અલ્સર, દાંત ઘસાવા, પેટ ખરાબ થવુ, ડિહાઈડ્રેશન, વારે ઘડીએ પેશાબ લાગવી, કિડની અને ગોલ્ડબ્લેડરને લગતી સમસ્યાઓ થઈ શકે છે.ખાસ ધ્યાન રાખો.
જો કોઈપણ મેડિકલ પ્રોબ્લેમ હોય તો તેમાં ડોક્ટરી સલાહ વિના લીંબુ પાણી પીને પ્રોબ્લેમ સોલ્વ કરવાનું ન વિચારશો. જો તમને એવુ લાગે કે લીંબુ પાણીને કારણે તમને નુકસાન થઈ રહ્યું છે તો તે પીવાનુ તરત જ છોડી દો. જો તમે લીંબુના રસનો ફાયદો મેળવવા માંગો છો તો અડધા ગ્લાસ પાણીમાં લીંબુના થોડા ટીપા નાંખી દો. પેટ સંવેદનશીલ હોય તો આખા ગ્લાસ પાણીમાં થોડો જ લીંબુનો રસ ઉમેરી વાપરો.