આજના સમયમાં આવા કિસ્સા રોજિંદા સામે આવી રહ્યા છે, તે જાણીને પતિ-પત્નીના સંબંધો ઉપરનો વિશ્વાસ ખોઈ જાય છે, જો આપણે આજના યુગની વાત કરીએ, તો સંબંધ જેવી કોઈ વાત નથી.
આવા કિસ્સા દરરોજ કલંકિત જોવા મળે છે. આજે અમે તમને એક એવો જ કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ, જેના પગલે તમારા પગ નીચેથી જમીન સરકી જશે. તમારા મગજમાં એક જ સવાલ એ આવશે કે પત્ની કેવી રીતે કોઈ બીજા માટે પોતાના પતિની ખૂની બની શકે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર.
આ મામલો બિહારના બેગુસરાયમાંથી બહાર આવ્યો છે. આશ્ચર્યજનક વાત છે કે અહીં પત્નીએ પતિની હત્યા કરીને આત્મહત્યા બતાવાનો પ્રયાસ કર્યો છે. આ કેસમાં પોલીસના જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે પતિની હત્યા પત્નીના પ્રેમીએ કરી હતી.આ બનાવ બખરી પોલીસ સ્ટેશન વિસ્તારના કામા સ્થળની છે.
તે કહે છે કે ગઈકાલે બખરીના કામા સ્થળે ખગરીયા જિલ્લાના અલોલી પોલીસ સ્ટેશન વિસ્તારના સિમરહા ખાતે રહેતા વિકાસ કુમારની લાશ ઝાડમાંથી લટકતી મળી હતી.
પહેલાના લોકોએ તેને કૌટુંબિક વિવાદમાં આત્મહત્યા ગણાવી હતી.જ્યારે પોલીસ તપાસમાં મૃતકની પત્ની સાથે ગેરકાયદેસર સંબંધ હોવાનું બહાર આવ્યું હતું.
જે અંગે મૃતકને જાણ થઈ હતી. આને કારણે વિકાસની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પહેલા તેના જ પતિ વિકાસ કુમારની હત્યા કરી અને પછી તેના મૃતદેહને ઝાડ પર લટકાવી દીધી. જેથી હત્યા આત્મહત્યા લાગે.
જાણો અન્ય સ્ટોરી.રાજકોટમાં એક પત્નીએ જ પોતાના પતિને પતાવી દેવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. હત્યા બાદ પત્નીએ પોલીસને એવી તો અવડા રવાડે ચઢાવી કે હત્યાના મુખ્ય તારણ સુધી પહોંચવુ ઘણુ અઘરુ હતુ પરંતુ પોલીસે તપાસમાં આખરે હત્યા કેમ કરાઈ અને કોણે કરી તે જાણી જ લીધુ હતુ.
કાળા મુખૌટા પહેરી આપ્યો હત્યાને અંજામરાજકોટમાં પત્નીએ કરી, પોતાના પતિની હત્યાહત્યા બાદ રચી ખોટી સ્ટોરી, દિયર ઉપર મૂક્યો આરોપ,પતિ પત્ની અને વો જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.પોતાના પ્રેમીને પામવા માટે એક પત્નીએ પોતાના જ પતિનું પ્રેમી સાથે મળીને કાસળ કાઢી નાખ્યુ. મૃતક પુરૂષનો મૃતદેહ મળ્યો ત્યારે તેની જ પત્નીએ એવી તો સ્ટોરી બનાવી કે પોલીસ પણ અવળે રસ્તે પહોંચી ગઇ હતી જો કે કહેવાય છે કે સત્ય છાપરે ચડીને પોકારે છે. એમ આ મર્ડર મિસ્ટ્રીનો પણ થઇ ગયો પર્દાફાશ,કઇ રીતે વાંચો આ ખાસ અહેવાલ.
પોલીસના સકંજામાં રહેલા આ બંન્ને શખ્સો હત્યારા છે. કાળા મુખોટાથી પોતાનું મોં છુપાવી રહેલા આ બંન્નેએ એક નિર્દોષને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ બંન્નેમાં જે મહિલા છે તેનું નામ કિરણ ગોહેલ છે જેના પર તેની બાજુમાં ઉભેલા મયુર ઉર્ફે મયલો ચાવડીયા નામના પ્રેમી સાથે મળીને તેના જ પતિ પરેશ ઉર્ફે પવો ગોહેલની હત્યા કરવાનો આરોપ છે.
દિયર સાથે મળીને હત્યા કરી હોવાનો આરોપતારીખ 8 નવેમ્બરે રાજકોટના કોઠારિયા વિસ્તારમાંથી પરેશની લાશ મળી હતી જેમાં પોલીસને પરેશની પત્ની કિરણ પહેલા જ શંકાના ઘેરામાં લાગતી હતી જ્યારે તેની પુછપરછ કરી ત્યારે તે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરતી હોવાની કબુલાત આપી જો કે
કિરણ પાસેથી મોબાઇલ ફોન પણ મળ્યો જ્યારે મોબાઇલનું જુઠ્ઠાણું પકડાયું ત્યારે કિરણે પોતાનો પતિ પરેશ તેને ઢોર માર મારતો હોવાથી તેના બે દિયર અને સંતાન સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીઘાની સ્ટોરી ઉભી કરી હતી. પોલીસે ફોડ્યો ભાંડો.
આ અંગે પણ પોલીસે તપાસ કરી જો કે કિરણે ઉભી કરેલી સ્ટોરી અને ઘટના સ્થળમાં મળેલા પુરાવામાં વિસંગતતા જોવા મળતા પોલીસે તેની આગવી ઢબે પુછપરછ કરી જેમાં કિરણ પોપટ બની અને પોતે તેના પ્રેમી મયુર સાથે મળીને હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.શા માટે કરી હત્યા.
પોલીસના કહેવા પ્રમાણે કિરણ અને મયુર છેલ્લા બે વર્ષથી એકબીજાના પ્રેમમાં છે. બંન્ને બે વર્ષ પહેલા દ્રારકા ખાતે સંપર્કમાં આવ્યા હતા. અને ત્યારબાદ એકબીજાને અવારનવાર મળતા હતા. જો કે કિરણ અને મયુરના આ સબંધો વિશે કિરણનો પતિ પરેશ બધુ જ જાણી ગયો હતો.
તેના કારણે જ તે કિરણના વર્તન પર નજર રાખતો હતો જે વાત કિરણે તેના પ્રેમી મયુરને કરી હતી. કિરણે મયુરને પરેશ ક્યાં ક્યાં સ્થળે ક્યારે અને કેટલા વાગ્યે જાય છે તેની માહિતી આપી હતી. જેના આઘારે 8 મી નવેમ્બરે જ્યારે પરેશ તેના ઘરેથી નિકળ્યો ત્યારે મયુરે તેનું અપહરણ કરીને અવાવરૂ સ્થળે તેને ગળેટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે કરી ધરપકડ.
હાલ તો પોલીસે આ બંન્નેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ શરૂ કરી છે,જો કે રાજકોટમાં ફરી પતિ,પત્ની અને વોની વારદાતમાં એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે. જ્યારે પોતાના જ પતિનું કાસળ કાઢી નાખનાર કિરણને હવે પસ્તાવા સિવાય કોઇ વિકલ્પ રહ્યો નથી.
ઉમરેઠ તાલુકાના પણસોરા-મેઘવા રોડ સ્થિત ગટરમાંથી ગત રવિવારે મેઘવાના 40 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવમાં પોલીસે પત્ની, તેના પ્રેમી અને મિત્રની ધરપકડ કરી હતી. બીજી તરફ પ્રેમીએ પણ તેની પત્ની, પિતા અને ભત્રીજીને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કર્યું હોવાનું જણાવ્યું હતું.
શુક્રવારે રાત્રે પણસોરા ગામે દવાખાને જવું છું એમ કહીને નીકળ્યા હતા,નાયબ જિલ્લા પોલીસ વડા બી. ડી. જાડેજાએ જણાવ્યું કે, પણસોરા-મેધવા રોડ સ્થિત ગટરમાંથી રવિવારે મેઘવા ગામે નાની ખડકીમા રહેતા ગૌતમભાઈ પટેલ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં મૃતકના પત્નીએ કહ્યું કે, શુક્રવારે રાત્રે છાતીમાં દુખતું હોવાથી બાઇક લઈને પણસોરા ગામે દવાખાને જવું છું એમ કહીને નીકળ્યા હતા.
મોડી રાત સુધી ઘરે પરત ના આવતાં તપાસમાં કોઈ પત્તો મળ્યો નહોતો. મૃતકનું પોસ્ટમોર્ટમમાં ગૌતમભાઈનું મોત ગળું દબાવવાના કારણે થયું હતું. પોલીસ તપાસમાં મૃતકની પત્ની શીતલ છેલ્લાં કેટલાંય સમયથી અમદાવાદના ઓઢવ ખાતે રહેતા ચન્દ્રકાન્ત નટુ પટેલ સાથે સતત સંપર્કમાં હોવાનું ખૂલ્યું હતું. જેને કારણે પોલીસે શીતલ અને ચંન્દ્રકાન્ત બંનેની પૂછપરછ કરતાં બંને જણાએ સમગ્ર ગુનાની કબુલાત કરી હતી.
પત્નીએ પૈસાની ઊઘરાણી માટે જવું છે એમ કહીં પતિને બોલાવ્યો હતો,ચન્દ્રકાન્ત તેના મિત્ર મહેશ ઉર્ફે જીગો બંને જણાં ગત શુક્રવારે રાત્રે કાર લઈને અમદાવાદથી આણંદ આવ્યા હતા. જ્યાં પણસોરા સીમ વાળંદના કૂવા નજીક ગટર પાસે સાઈડમાં કાર પાર્ક કરી હતી. અને ચન્દ્રકાન્તે તેની મૃતકની
પત્નીને ફોન કરીને પોતે આવી ગયા હોવાનું જણાવ્યું હતું. દરમિયાન, મૃતકની પત્નીએ જ મોબાઈલથી ચન્દ્રકાન્તને વાત કરાવતા પૈસાની ઊઘરાણી માટે જવાનું કહીને ગૌતમભાઈને પાર્કિંગ કરેલી જગ્યાએ બોલાવ્યો હતો. જ્યાં ગૌતમભાઈ બાઈક લઈને આવતા જ તેમણે તેની કારમાં બેસાડી ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યો હતો. એ પછી મૃતદેહ ત્યાં ફેંકી તેઓ ફરાર થઈ ગયા હતા. હાલમાં પોલીસે મૃતકની પત્ની શીતલ, પ્રેમી ચન્દ્રકાન્ત અને તેનો મિત્ર મહેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હોસ્ટેલમાં પ્રવેશ માટે ગૌતમભાઈએ જ પત્નીને પ્રેમી સાથે મોકલી હતી,ચંન્દ્રકાન્તનું મૂળ વતન મેઘવા જ થાય છે. તેને મામા તરીકે જ લોકો ઓળખતા હતા.
ચન્દ્રકાન્ત ગામમાં અવાર-નવાર આવતો હોય ત્યાં શીતલ સાથે સંપર્ક થયો હતો. ચંન્દ્રકાન્ત ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. જ્યારે ગૌતમ એ ખેતીકામ કરે છે. ચન્દ્રકાન્ત તેમના ઘરે પણ અવર-જવર કરતો હતો. જોકે, મૃતક પત્નીના આડા સંબંધ અંગે સાવ અજાણ હતો. થોડાં સમય અગાઉ ગૌતમભાઈએ તેમના પુત્રને અમદાવાદની હોસ્ટેલમાં મૂકવાનો હોય તેણે તેની પત્ની શીતલને તેની સાથે જ અમદાવાદ મોકલ્યા હતા.
પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવવાની ના પાડતાં પોલીસને શંકા ગઈ,ગત 12મી જાન્યુઆરીના રોજ બનાવ બન્યો એ પછી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ માટે જ્યારે મૃતકની પત્ની શીતલના ઘરે ગઈ ત્યારે તેણે પ્રથમ તો અમારે કંઈ જ કરવું નથી
તેમ કહી ફરિયાદ કરવાની ના પાડી હતી. જોકે, બીજી તરફ પોલીસે અજાણ્યા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં પ્રાથમિક તપાસમાં જ મૃતકનું ગળું દબાવીને મોત નીપજાવ્યું હોવાનું ખૂલતાં જ પોલીસે પ્રથમ તેની પત્નીની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
બંને આરોપીઓને મોટા બાળકો છેઆરોપી શીતલ અને મૃતક ગૌતમને 17 વર્ષીય પુત્રી અને 13 વર્ષીય પુત્ર છે. જ્યારે આરોપી ચંન્દ્રકાન્તને 23 વર્ષીય પુત્ર છે. જોકે, ઘટનાને કારણે એક પરિવારે માતા-પિતાની અને એક પરિવારે પિતાની છાયા ગુમાવી છે. કૅનાલમાં કાર ડૂબાડીને પોતાના પરિવારજનોની હત્યાનું પણ કાવતરું હતું,બંને પ્રેમી પંખીડા વચ્ચે છેલ્લાં દોઢ વર્ષથી પ્રેમ સંબંધ ચાલતો હતો. જોકે, શીતલના ઘરે આ અંગેની જાણ નહોતી.
પરંતુ ચંન્દ્રકાન્તના ઘરે તેની ભત્રીજીને જાણ હતી. તેને કારણે ચંન્દ્રકાન્તે શીતલના પતિને મોતને ઘાટ ઉતાર્યો એ પહેલાં 1 માસ અગાઉ તેના પિતા, પત્ની અને ભત્રીજીને મોતને ઘાટ ઉતારવાનું પ્લાનિંગ કર્યું હતું. જેમાં દહેગામ સ્થિત નર્મદા કૅનાલ પાસે તે પોતાની કારમાં ત્રણેયને બેસાડીને લઈ પણ ગયો હતો.
કાર કૅનાલમાં ડૂબાડીને અંજામ આપવાનું પ્લાનિંગ હતું. પરંતુ એ સમયે આસપાસમાં માણસો ખૂબ હોય તેણે પ્લાન મોકુફ રાખ્યો હતો. અને પરત આવી ગયો હતો. બાદમાં તેણે શીતલના પતિની હત્યા કરી નાંખી હતી. ઉલ્લેખનીય છે કે, તેઓ ન પકડાયા હોત તો વધુ 3ની હત્યા કરી અમદાવાદમાં ફ્લેટ લઈને રહેવાની તેઓ તૈયારી કરતા હતા.